રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે, ‘નોવેલ કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા માટે લૉકડાઉનનો ચુસ્તપણે અમલ થઈ રહ્યો છે, ત્યારે નાગરિકો સ્વયંશિસ્તમાં રહે તે જરૂરી છે. શિવાનંદ ઝાએ મરકઝમાંથી આવેલા લોકો વિશે વાત કરતા કહ્યું હતું કે, ‘અત્યાર સુધીમાં 110 લોકોની ઓળખ થઈ છે. જેમાંથી આજે 16 લોકોની ઓળખ કરવામાં આવી છે. જેમાં અમદાવાદના 2, છોટાઉદેપુરના ત્રણ અને જૂનાગઢના 11 લોકો મળીને કુલ 126 લોકોની ધરપકડ કરીને તપાસ કરવામાં આવી છે. જેમાંથી અમદાવાદના પાંચ સહિત છોટાઉદેપુરના એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.’
પોલીસે કુલ 3420 લોકોની ધરપકડ કરી
સોશિયલ મીડીયાનો દુરુપયોગ કરવા બદલ 102 ગુનો નોંધાયા છે. શિવાનંદ ઝાએ લોકોને ખોટા સંદેશ વાઇરલ ન કરવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું છે કે, ગઇ કાલે આ મામલે 14 ગુનાઓ નોંધવામાં આવ્યા છે. આ અંતર્ગત મુજબ 46 લોકોની ધરપકડ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત ડ્રોન તથા સીસીટીવી સર્વેલન્સ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. ડ્રોન સર્વેલન્સ અંતર્ગત અત્યાર સુધીમાં 388 ગુના નોંધવામાં આવ્યા છે. આ અંતર્ગત 3601 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે સીસીટીવી ફૂટેજની ચકાસણી અંતર્ગત 188 ગુના નોંધવામાં આવ્યા છે અને 400 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થા અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, લોકડાઉન દરમિયાન જાહેરનામાના ભંગના 1,398 ગુના, ક્વોરન્ટીન ભંગ બદલ 577 લોકો તેમજ અન્ય 81 એમ કુલ 2,056 ગુનાઓ નોંધવામાં આવ્યા છે. જેમાં 3,420 લોકોની ધરપકડ કરી છે. જ્યારે 8,718 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.
વગર મંજૂરીએ વાહન લઇને નીકળે છે
લોકડાઉન દરમિયાન સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ ગરીબ લોકોને ભોજનની સુવિધાઓ પૂરી છે, જેને બિરદાવી હતી. પરંતુ તેમણે આ બાબતે જણાવ્યું હતું કે, લોકો આ પ્રવૃતિઓનો દુરુપયોગ કરી રહ્યાં છે. વગર કારણે નીકળવનાર સામે હવે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
Views: 38