Breaking News

નરોડા, જમાલપુર, બહેરામપુરામાં નવા કેસ નોંધાયા. એ સાથે જ રિલીફરોડ, જીવરાજપાર્ક, દાણીલીમડા, મેઘાણીનગર, જુહાપુરા, દુધેશ્વર,ઘાટલોડિયા સહિત કોરોનામાં સપડાયા: 4માસની બાળકીને કોરોનાં

વિશ્વમાં અને દેશમાં જેમ કોરોનાના પોઝિટીવ કેસ વધી રહ્યા છે. એ રીતે ગુજરાતમાં પણ દિન પ્રતિદિન કોરોનાના દર્દીઓ વધી રહ્યા છે. ત્યારે આરોગ્ય સચિવ જયંતિ રવીએ જણાવ્યું હતું કે, આજે ગુજરાતમાં કોરોનાના નવા 228 કેસ નોંધાયા હતા. એમાંથી અમદાવાદમાં 140 નવા કોરોના કેસ નોંધાયા છે. એ સાથે જ ગુજરાતમાં કુલ આંક 1604એ પહોંચ્યો છે. સાથે જ 5 લોકોના મોત થતા 58 લોકોના મોત થયા છે.


આરોગ્ય વિભાગના અગ્રસચિવે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતુ કે, ગુજરાતમાં કોરોનાના નવા 228 કેસ આવ્યા છે. કુલ 1604 કેસ થયા છે જેમાંથી 94 સાજા થયા છે. 9 લોકો વેન્ટીલેટર ઉપર છે. કુલ 58 લોકોના મોત થઈ ગયા છે. એ જ રીતે અમદાવાદમાં 140, આણંદમાં 1, બનાસકાંઠા 2, બોટાદ 1, ભાવનગર 2, છોટાઉદયપુર 1, મહેસાણા 1, સુરત 67, વડોદરા 8, રાજકોટ 5 એમ કરીને આજે 228 નવા કેસ નોંધાયા છે અને કુલ આંકડો 1604એ પહોંચ્યો છે.

ગુજરાતમાં કોરોનાના નવા 228 કેસ નોંધાયા છે. કોરોનાથી રાજ્યમાં વધુ 5ના મોત થયા છે. અમદાવાદ અને સુરતમાં ભયજનક સ્થિતિ સર્જાઈ છે. અમદાવાદમાં 140, સુરતમાં 67 નવા કેસ સામે આવતા લોકોમાં ચિંતા વધી હતી. અમદાવાદમાં કેસનો આંક 1000ને પાર થઈ ગયો. વડોદરામાં 8, રાજકોટમાં નવા 5 કેસ, બનાસકાંઠામાં 2, આણંદમાં 1, બોટાદમાં 1 કેસ, છોટાઉદેપુર 1, મહેસાણામાં વધુ 1 કેસ સાથે ગુજરાતમાં કેસનો કુલ આંક 1604 થયો.

80 ટકા દર્દીઓમાં લક્ષણો જોવા નથી મળતા છતાં પોઝિટીવ આવે છે. અત્યાર સુધી 94 લોકો ડિસ્ચાર્જ થયા છે. ગુજરાતમાં દર 10 લાખ વ્યક્તિએ 447નું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં દર 10 લાખ લોકોએ 19 કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 3598 ટેસ્ટ કરવામાં આવ્યાં.

અમદાવાદમાં નરોડા, જમાલપુર, બહેરામપુરામાં નવા કેસ નોંધાયા. એ સાથે જ રિલીફરોડ, જીવરાજપાર્ક, દાણીલીમડા, મેઘાણીનગર, જુહાપુરા, દુધેશ્વરમાં પણ કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોનાના નવા 228 કેસ સાથે હવે આંકડો 1604 થઈ ગયો છે.

Views: 1464

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *