આગામી દિવસોમાં કેસો વધી શકે:વિજય નહેરા
અમદાવાદમાં કોરોના પોઝિટિવના રેકોર્ડબ્રેક 50 કેસો સાથે કુલ આંક 133 પર પહોંચ્યો, SVPમાં એકનું મોત
દાણીલીમડા, આસ્ટોડિયા, ઘોડાસર વિસ્તારમાંથી 50 કેસ પોઝિટિવ
મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ આજે કોરોના પોઝિટિવ કેસોને સામેથી શોધવાની મ્યુનિસિપલ કોર્પોરેશનની રણનીતિની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, હજુ 1000થી વધુ સેમ્પલ લઈને મોકલ્યા છે. એટલે 100, 200 જેટલા કેસો સામે આવવાની શક્યતા છે. સર્વે અને કેસો શોધતા અનેક મોત અટકાવી શક્યા છીએ. 982 આરોગ્યની ટીમોમાં 1900 કર્મચારીઓ અને 74 UHCના સ્ટાફની મદદથી કોટ વિસ્તારમાં 1 લાખ ઘરોનો ઘરે ઘરે તપાસ કરી રહ્યા છીએ. તાવ, શરદી અને શ્વાસ લેવાની તકલીફ હશે તો સેમ્પલ લેવામાં આવશે.
રેકોર્ડબ્રેક 50 કેસો નોઁધાયા
શહેરમાં કોરોના પોઝિટિવનો બુધવારે એકેય કેસ નોંધાયો ન હતો. જો કે આજે ગુરૂવારે એક સાથે રેકોર્ડબ્રેક 50 કેસો નોઁધાયા હતા.તમામ ક્લસ્ટર ક્લોરન્ટીન થયેલા વિસ્તારોના છે. બુધવારે 600 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જિલ્લા અને શહેરમાં કોરોના પોઝિટિવના કુલ 133 કેસો નોંધાયા છે. અત્યાર સુધી કોરોના પોઝિટિવ 6 લોકોના મોત થયા છે જ્યારે 8 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. સોમવાર અને મંગળવારે કુલ 28 કેસ પોઝેટિવ નોંધાયા હતા. સોમવાર અને મંગળવારે જે સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમાંથી 200ના રિપોર્ટ આવ્યા હતા. 6 પોઝિટિવ અને 194 નેગેટિવ આવ્યા છે. બુધવારે વધુ 600 સેમ્પલ લેવામાં આવ્યા છે.
કોરોના ચેકપોસ્ટ પર થર્મલગનનો અભાવ
શહેરના કોટ વિસ્તારમાં બનાવાયેલી કોરોના ચેકપોસ્ટ પર મ્યુનિસિપલ તંત્રની અવ્યવસ્થા સર્જાઈ છે. આજે વહેલી સવારથી એલિસબ્રિજ, આસ્ટોડિયા દરવાજા અને ખાડીયા રાયપુર દરવાજા પાસેની ચેકપોસ્ટ પર લોકોને ચેક કરવાની થર્મલ ગન ન હોવાના કારણે એકપણ વ્યક્તિને તપાસવામાં નથી આવી રહ્યો. પેરામેડીકલ સ્ટાફ વહેલી સવારથી ચેક પોઇન્ટ પર હાજર છે પરંતુ થર્મલગન ન હોવાથી તેઓ ચેક નથી કરી રહ્યા. પેરામેડિકલ સ્ટાફના કર્મીઓ થર્મલગનની રાહ જોઈ રહ્યા છે. આજે વહેલી સવારથી કેટલીક કોરોના ચેકપોસ્ટ પર આ કામગીરી અટકી છે. મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ ગઈકાલે જ આ ચેકપોસ્ટોની મુલાકાત લઈ તમામ સુવિધાઓની તપાસ કરી હતી. જો કે આજે સવારે જ અવ્યવસ્થા સર્જાઈ છે.
ઘરમાં રહો સુરક્ષિત રહો.
Views: 83