Breaking News

મુનાફ પટેલનું ઇખર ગામ પણ ક્લસ્ટર ક્વોરન્ટાઈન.

 ભરૂચના ઇખરમાં તબલીઘ જમાતના 7 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ ઇખર ગામ સહિત 7 કિ.મી.ના વિસ્તારને ક્લસ્ટર કન્ટેન્મેન્ટજાહેર કરાયો છે. પૂર્વક્રિકેટર મનાફ પઠાણ પણ ઇખર ગામમાં રહે છે. જેથી મુનાફ પઠાણ સહિત ગામના 7 હજાર લોકોને ક્લસ્ટર ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.

7 કિ.મી.ના 12 ગામોની હદ23 એપ્રિલ સુધી સીલ કરાઇ

આમોદ તાલુકાના ઓરછણ, સુથોદરા, તેલોદ, માતર, દાંડા, દોરા, કોઠી અને કરેણા અને ભરૂચ તાલુકાના કંબોલી, સીમલિયા, કિસનાડ અને પાલેજ ગામની હદને 23 એપ્રિલ સુધી સીલ કરવામાં આવી છે. અને ઇખરમાંઆરોગ્ય વિભાગની 25 ટીમો દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે. શંકાસ્પદો લોકોની તપાસ કરવામાં આવી રહી છે. લોકોનેજરૂરિયાત વિના બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી છે.ઇખર ગામમાં કોરોના વાઈરસના 7 પોઝિટિવ દર્દીઓને ભરૂચ સિવિલ હોસ્પિટલમાંથી108 એમ્બ્યુલન્સ મારફતે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડાયા છે.
કોરોના વાઈરસના 7 કેસ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ
ભરૂચમાં કોરોના વાઈરસના 7 કેસ પોઝિટિવ આવ્યા છે. આ લોકો તમિલનાડુ તબલીઘ જમાતમાંથી આવ્યા હતા. જ્યારે 6 લોકોને આમોદમાં ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.
કોરોના પોઝિટિવના સંપર્કમાં આવેલા તમામની તપાસ શરૂ
તમિલનાડુના 10 લોકો અંકલેશ્વર રેલવે સ્ટેશન ઉપર ઉતર્યા હતા. ત્યારબાદ તેઓ ભરૂચની મસ્જિદમાં ગયા હતા. અને ત્યાંથી ઇખર ગામમાં ગયા હતા. તમિલનાડુથી આવેલા 10 લોકોના સેમ્પલ લઇને લેબમાં મોકલાયા હતા. જમાંથી 7 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 6 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. અને તમિલનાડુના આ લોકો જ્યાં જ્યાં ગયા હતા. તે તમામ જગ્યાઓએ આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે. જે લોકો સંપર્કમાં આવ્યા હતા. તેમની ખાસ તપાસ કરાઇ રહી છે.

Views: 80

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *