અમદાવાદ માં સાડા આઠ કરોડનું કેસલેસ પેમેન્ટ થયું

અમદાવાદમાં 14, સુરતમાં 3, પંચમહાલ, આણંદ અને મહેસાણામાં 1-1 દર્દીના મોત7 દર્દીના કોરોનાથી અને 13ના અન્ય બીમારી, હાઈરિસ્ક તથા કોરોનાને કારણે મોતઅમદાવાદમાં 261, સુરતમાં 32, વડોદરામાં 15, રાજકોટમાં 12, ગાંધીનગરમાં 11 અને સાબરકાંઠામાં 2 નવા કેસપાટણ, ગીર-સોમનાથ, ખેડા, જામનગર, અરવલ્લી, મહીસાગર અને સુરેન્દ્રનગરમાં 1-1 કેસકુલ 9,932 કેસમાંથી 43 વેન્ટીલેટર પર, 5,248ની હાલત સ્થિર, 4035 ડિસ્ચાર્જ અને 606ના મોતઅત્યાર સુધીમાં 1,27,859 ટેસ્ટ થયા, 9,932નો રિપોર્ટ પોઝિટિવ અને 1,17,927નો રિપોર્ટ નેગેટિવ આવ્યો

 ભાવનગરમાં વધુ એક નવો કેસ નોંધાતા રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 9,933 થઈ છે અને મૃત્યુઆંક 606એ પહોંચ્યો છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 340 નવા કેસ સામે આવ્યા છે અને 20 દર્દીના મૃત્યુ થયા છે.જ્યારે 282 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. કચ્છમાં ધાણીપાસાના જુગાર ઉપર LCB ત્રાટકી હતી. જેમાં 14.13 લાખનો મુદ્દામાલ સાથે 18 શખ્સ અટકાયત કરવામાં આવી છે.અમદાવાદમાં એક અઠવાડિયા પછી એસેન્શિયલ સપ્લાયની દુકાનો છે કરિયાણા, શાકભાજી અને ફ્રૂટની દુકાનો શરૂ કરવામાં આવી હતી. એક જ દિવસમાં અમદાવાદ શહેરમાં 30 હજાર ઓર્ડર મળ્યા છે, જેમાં સાડા આઠ કરોડનુ કેશલેસ પેમેન્ટ કરવામાં આવ્યું હોવાનું મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે કહ્યું છે.

16 મેની સવારથી અત્યારસુધીની મહત્વપૂર્ણ ઘટનાઓ
આવતી કાલે જે NFSA રાશનકાર્ડનો છેલ્લો આંકડો 1 હશે તે અનાજની કીટ મેળવી શકશેઃ અશ્વિની કુમાર
NFSA હેઠળ કાર્ડ ધરાવતા 65 લાખથી વધુ લોકો NFSA કાર્ડ ધરાવે છે. બીપીએલ કાર્ડ ધરાવતા 3 લાખથી વધુ પરિવારનોએ એપ્રિલ મહિનાની જેમ મે મહિનામાં પણ અનાજ વિતરણ કરવામાં આવશે. આ સાથે જ 65 લાખ 40 હજાર અને 3 લાખ 40 હજાર આમ 68 લાખ 80 હજાર પરિવારોને 17થી 23 મે દરમિયાન અનાજ વિતરણ કરવામાં આવશે. આવતી કાલે એટલે કે 17 મેના રોજ જે NFSA રાશનકાર્ડનો છેલ્લો આંકડો 1 હશે તે અનાજની કીટ સસ્તા અનાજની દુકાનેથી મેળવી શકશે.ગૌશાળા અને પાંજરાપોળમાં જે પશુઓ રહે છે તેમને એપ્રિલ મહિનાની જેમ મે મહિનામાં પણ પશુદીઠ રૂ. 25 સબસીડી આપવાનો નિર્ણય કર્યો છે. આ સબ્સિડી જિલ્લા કલેક્ટર મારફત રજિસ્ટર્ડ ગૌશાળા અને પાંજરાપોળમાં પહોંચડાવામાં આવશે. પાંજરાપોળ અને ગૌશાળામાં 4 લાખ પશુઓ છે. જેથી 30થી 35 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે તેવુ અનુમાન છે.
મુખ્યમંત્રીએ ગાંધીનગરથી સોમનાથ મહાદેવની પૂજા કરી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત સહિત દેશમાં સૌ કોઇ કોરોના મહામારીથી મુક્ત બને અને જનજીવન ઝડપભેર પૂર્વવત થાય તેવી પ્રાર્થના સાથે ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી આજે સવારે વીડિયો કોલિંગથી ઇ સંકલ્પ કરીને સુપ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર સોમનાથ મહાદેવના દર્શન-પૂજન કર્યા હતા.
સાબરકાંઠા એસપીની કાર્યશૈલીથી સાંસદ નારાજ, SPને બદલા કેન્દ્રીય ગૃહમંત્રીને લખ્યો પત્ર
સાબરકાંઠાના એસપીની કાર્યશૈલીથી નારાજ સાંસદ દિપસિંહ રાઠોડે એસપીને બદલવા માટે કેન્દ્રીય ગૃહમંત્રીથી લઇને રાજ્યના ગૃહમંત્રીને પત્ર લખ્યો છે.

અત્યાર સુધીમાં 1,27,859 ટેસ્ટ અને 43 દર્દી વેન્ટીલેટર પર
કોરોના અંગેની અપડેટ આપતા રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ 19ના 340 કેસ સામે આવ્યા છે. જ્યારે 7 દર્દીના કોરોનાથી અને 13ના અન્ય બીમારી, હાઈરિસ્ક તથા કોરોનાને કારણે મૃત્યુ થયા છે. અમદાવાદમાં 14, સુરતમાં 3, પંચમહાલ, આણંદ અને મહેસાણામાં 1-1 દર્દીના મૃત્યુ નોંધાયા છે. તેમજ અમદાવાદમાં 261, સુરતમાં 32, વડોદરામાં 15, રાજકોટમાં 12, ગાંધીનગરમાં 11 અને સાબરકાંઠામાં 2 તથા પાટણ, ગીર-સોમનાથ, ખેડા, જામનગર, અરવલ્લી, મહીસાગર અને સુરેન્દ્રનગરમાં 1-1 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કુલ 9,932 કેસમાંથી 43 વેન્ટીલેટર પર છે અને 5,248 દર્દીની હાલત સ્થિર છે. જ્યારે 4035 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે અને 606 દર્દીના મૃત્યુ થયા છે. ટેસ્ટિંગની વાત કરવામાં આવે તો રાજ્યમાં અત્યાર સુધીમાં 1,27,859 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 9,932નો રિપોર્ટ પોઝિટિવ અને 1,17,927નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

Hits: 259

News Team

Recent Posts

How Simran Kaur of Kaziranga University Turned Her Dreams into a PwC Offer

New Delhi [India], April 24: Every success story begins with a dream—but what truly defines that story is the journey:… Read More

15 hours ago

MGrow, Kalp Studio and IBM Launch Scholarship to Boost Youth Employability

New Delhi [India], April 24: MGrow, a platform dedicated to upskilling students and professionals for job related programs, has joined… Read More

15 hours ago

Kretto Syscon to announce Q4 results on April 24, continues to attract strong investor interest

Ahmedabad (Gujarat) [India], April 23: Kretto Syscon Limited (BSE Code: 531328), a diversified player in real estate and information technology… Read More

15 hours ago

Cisco and Nasscom Foundation Honour Top 10 thingQbator Start-ups at Neovation 2025

New Delhi [India], April 24: Cisco, in partnership with Nasscom Foundation, felicitated ten winning student-led start-ups from the 7th cohort… Read More

15 hours ago

Jag Mohan Garg: Land Pooling Policy and Delhi’s Urban Renaissance

“This policy exemplifies how collaboration between landowners and authorities can lead to sustainable urbanization and economic revitalization.” – Jagmohan Garg… Read More

15 hours ago

Ace With Ease IAS Academy Sets a New Benchmark in UPSC 2024; Anthropology and GS Mentorship Drive Top Ranks

Hyderabad (Telangana) [India], April 23: In a remarkable showing that further solidifies Hyderabad’s status as an emerging hub for civil… Read More

20 hours ago

This website uses cookies.