NEWS : ભારતીય જનતા પાર્ટીનો આજે 40મો સ્થાપના દિવસ છે, મોદીએ કાર્યકર્તાઓને શુભેચ્છા પાઠવી
કહ્યું : લડાઈ લાંબી છે પણ અશક્ય નથી.
ભાજપનો આજે 40મો સ્થાપના દિવસ છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કાર્યકર્તાઓને સંબોધિત કર્યા છે. તેમણે કહ્યું કે કોરોનાવાઈરસ સામેની લડાઈમાં હારવાનું કે થાકવાનું નથી. આ લાંબી લડાઈમાં વિજય પ્રાપ્ત કરવાનો છે. તેમણે ટ્વિટર પર તમામ કાર્યકર્તાઓને પાર્ટીના સ્થાપના દિવસે શુભેચ્છા પાઠવી છે. તેમણે એ પણ કહ્યું કે કાર્યકર્તા હાલના કઠણ સમયે જરૂરિયાતમંદોની મદદ કરે અને આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે. ભાજપની સ્થાપના 6 એપ્રિલ 1980ના રોજ થઈ હતી.
ભારતના પ્રયત્નોની પ્રશંસા થઈ
કોરોના સામે લડવાના ભારતના પ્રયત્નોની પ્રશંસા થઈ. વર્તમાન પરિસ્થિતિમાં આપણે ચારે તરફ જોઈ રહ્યાં છે. પછી તે એક દિવસનો જનતા કર્ફ્યુ હોય કે લાંબા સમયનું લોકડાઉન, દેશનો દરેક નાગરિક સાથે છે. 130 કરોડ લોકોના દેશમાં લોકડાઉનના સમયે જે પ્રકારની એકતા જોવા મળી તે અભૂતપૂર્વ છે.
મારી સાથે સમગ્ર દેશ છે
કાલે આપણે જોયું લોકોએ સારી રીતે સમર્થન આપ્યું. પછી તે ગરીબ હોય કે અમીર, બધાએ એકતા બતાવી. આ લડાઈમાં હું એકલો નથી. તેમાં સમગ્ર દેશ મારી સાથે છે. આ વાત કાલે રાતે લોકોએ સાબિત કરી. મોદીએ કહ્યું આ લાંબી લડાઈ છે, થાકવાનું નથી, હારવાનું નથી, લાંબી લડાઈ બાદ વિજય મેળવવાનો છે. આજે દેશનું એક જ મિશન છે કોરોનાની મહામારી સામેની લડાઈમાં જીત મેળવવી તે.
દેશના આ કઠણ સમયમાં પાર્ટીના તમામ કાર્યકર્તાઓ પર રાષ્ટ્ર અને માનવ સેવાની જવાબદારી વધી ગઈ છે. પાર્ટીના 40માં સ્થાપના દિવસ પર હું તમને લોકોને આ મહામારીનો સામનો કરવા માટેનું આહ્લાન કરું છું.
સંબોધન દરમિયાન તેમને પાંચ આગ્રહ કર્યા :
૧. ગરીબોને રેશન આપવાની અવિરત સેવા
જ્યારથી આ સંકટ શરૂ થયું છે ભાજપના લાખો કાર્યકર્તા દિવસ રાત ગરીબોની મદદ કરવા અને રેશન પહોંચાડવામાં જોડાયા છે. ગરીબોની સેવા કરે છે.
૨. અન્ય ઘરો માટે ખાવાનું બનાવો
પાંચ ઘરો માટે ખાવાનું બનાવો અને જરૂરિયાતમંદ લોકોને આપો. સમાજના તમામ લોકનું મનોબળ વધારવું તે આપણી જવાબદારી છે.
૩. ઘરો માટે ધન્યવાદ પત્ર લઈને જાવ
તમારા વિસ્તારમાં જે પણ નર્સ અને સફાઈ કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ, બેન્ક અને પોસ્ટ ઓફિસમાં કામ કરનારા લોકો અને સરકારી સેવાઓમાં લોકો છે, તેમનો આપણે આભાર વ્યક્ત કરવાનો છે. 40 ઘરના 5 અલગ અલગ લોકો આ ધન્યવાદ પત્ર પર સહી કરે. આપણે જેટલું સાથે મળીને કામ કરીશું આ મહામારીને એટલી ઝડપથી હરાવી શકીશું.
૪. આરોગ્ય સેતુ મોબાઈલ એપ ડાઉનલોડ કરો
આરોગ્ય સેતુ મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને ઓછામાં ઓછા 40 લોકોના મોબાઈલમાં તેને ડાઉનલોડ કરાવો.
૫.વડાપ્રધાન રાહત કોષમાં મદદ કરો
મહામારીની વિરુદ્ધ આ યુદ્ધ માનવતા માટે છે. યુદ્ધના સમયે દેશના લોકો માટે આપણે દાન કરીએ છીએ. હાલના સમયે લાખો લોકો પીએમ કેર્સ ફન્ડમાં દાન કરે છે. પ્રત્યેક કાર્યકર્તાએ પોતે પણ સહયોગ કરવો જોઈએ અને બીજેપીના 40 સાથીઓને પણ સહયોગ કરવા માટે પ્રેરિત કરવા જોઈએ.
Hits: 45
New Delhi [India], April 25: Narayana Educational Institutions have once again proven their academic excellence with an extraordinary performance in… Read More
New Delhi [India], April 25: In the wake of the recent tragic attack in Pahalgam that has left the nation… Read More
Surat (Gujarat) [India], April 25: Dr. Gaurav Khandelwal, a leading spine surgeon and Head of the Spine Surgery Department at… Read More
Chennai (Tamil Nadu) [India], April 25: The coaching and digital entrepreneurship landscape reached a major milestone as digital reformer Siddharth… Read More
New Delhi [India], April 24: The WOT Awards 2025, the flagship celebration of global female achievement and leadership took over… Read More
Hyderabad (Telangana) [India], April 24: On April 22, 2025, the Telangana Board of Intermediate declared intermediate first & second year results,… Read More
This website uses cookies.