કોરોનાના કહેર વચ્ચે દેશમાં આજે (4 મે) લોકડાઉનનો ત્રીજો તબક્કો શરુ થઇ રહ્યો છે, જે આગામી બે અઠવાડિયા એટલે કે 17 મે સુધી ચાલશે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 4:30 કાલકે રાષ્ટ્રને સંબોધન કરશે. વિડીયો કોન્ફ્રન્સ દ્વારા વડાપ્રધાન મોદી દેશને સંબોધન કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમિટ કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રને સંબોધિત કરશે. ઉલ્લેખનીય છે કે, આજથી લોકડાઉન 3.0 શરુ થઇ રહ્યું છે ત્યારે વડાપ્રધાન દેશવાસીઓને હાલની કોરોનાની સ્થિતિ અને કેટલીક મહત્વની બાબતો ઉપર સૂચનાઓ આપી શકે છે. આ સાથે જ કોઈ જાહેરાત પણ કરી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. આ અંગે ડીડી ન્યુઝ ગુજરાતી અને ગુજરાત ભાજપના નેતા આર.સી.ફળદુએ પણ ટ્વીટર એકાઉન્ટ પર માહિતી આપી છે..
પ્રધાનમંત્રી @narendramodi નું આજે 4.30 કલાકે સંબોધન,
પ્રધાનમંત્રી @narendramodi નામ સમિટ કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રને સંબોધશે,
વીડિયો કોન્ફરન્સ દ્વારા રાષ્ટ્રને સંબોધશે,
— DD News Gujarati (@DDNewsGujarati) May 4, 2020
Hits: 375